
એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ગઈ કાલે રાતે અમદાવાદ જવા માટે અહીંથી ટેક ઓફ કરવાની તૈયારીમાં હતું એ વખતે એમાં આગ લાગી હોવાનું જણાયું હતું. સત્તાવાર સૂત્રોએ કનિદૈ લાકિઅ કહ્યું કે એ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટના રાતે લગભગ ૯.૨૦ વાગ્યાના સુમારે થઈ હતી. એર ઈન્ડિયાની એરબસ ફલાઈટ એઆઈ-૦૯૧ અમદાવાદ માટે કનિદૈ લાકિઅ ટેક-ઓફ કરવાની અકિલા તૈયારીમાં જ હતી ત્યારે પોર્ટ એન્જિનમાં આગ લાગી હતી. વિમાનના ટેક-ઓફ પર દેખરેખ રાખી રહેલા એરપોર્ટના એક ગ્રાઉન્ડ અધિકારીને કનિદૈ લાકિઅ પોર્ટ એન્જિનમાંથી ધૂમાડો નીકળતાં દેખાયો હતો અને તરત જ ફલાઈટના પાઈલટને અકીલા જાણ કરી હતી. પાઈલટે તરત જ વિમાનના બંને એન્જિન બંધ કરી કનિદૈ લાકિઅ દીધા હતા અને ટેક-ઓફ કરવાનું ટાળ્યું હતું. પ્રવાસીઓને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને અન્ય ફલાઈટ મારફત એમને રવાના કરવામાં કનિદૈ લાકિઅ આવ્યા હતા. ત્યારબાદ વિમાનને વધુ ચકાસણી માટે ટો કરી જવાયું હતું.